Tuesday, December 27, 2011

જીવન

ખાશ યાદ રાખીએ કે,
જે કાયમ વધતીજ રહે છે તે ત્રુષ્ણા,
જે કાયમ ઘટતુજ રહે છે તે આયુષ્ય,
જેમા સતત વધ ઘટ થયા કરે છે તે મન.
પરંતુ જેમા વધ કે ઘટ કંઈજ થઈ શકતુ નથી
તે છે આપણો સ્વભાવ.

Saturday, November 26, 2011

જિન્દગી

આજની મળેલી થોડીક ખુશીને માણી લો, કાલની કોને ખબર છે
ગઈકાલની ભુલોને સુધારીલો, કાલની કોને ખબર છે
આવતી કાલની ચિંતાઓને છોડી દો, કાલની કોને ખબર છે
શોધવા જશો તો સુખ મલવાનુ નથી, કાલની કોને ખબર છે
આજની જીંદગીમાં નકારને છોડી દો, કાલની કોને ખબર છે
આપણુ જીવન આપણા વિચારો થકી જ ઘડાય છે અને જીવાતુ રહે છે.
જેને આપણે સંસ્કાર કે ખાનદાની કહીએ છીએ,
તે બીજુ કશુંજ નહી પરંતુ આપણા સારા વિચારોનો સમૂહ છે.
જીવનમા ઉદભવતી વિશિષ્ટ પરીસ્થીતીઓને
આપણે ક્યા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તથા
કેવી રીતે તેનુ મુલ્યાંકન કરીએ છીએ,
તે જ કાં તો સુખ હોય છે અથવા તો દુખ હોય છે.
સુખ કે દુખ આપણી વિચારશ્રુષ્ટિ પર અવલંબિત હોય છે.
જો આપણે ખરાબ વિચારોને દેશવટો આપી શકીએ
તો તેને આપણી ખાનદાની કહેવાય છે.
આપણી જીંદગી કેવી વીતાવવી તેનો સંપુર્ણ આધાર
આપણી વિચારશ્રુષ્ટિ પર રહેલો છે.
આપણે જો આપણી જીંદગીમાંથી
ખામીઓ શોધતા રહીશુ તો એ પારાવાર મળવાની જ છે
તેને બદલે જો આપણે ખુશી શોધતા રહીશું
તો તે પણ પારાવાર મલશે જ.
પસંદગી તો અંતે આપણે જ કરવાની છે કે ખુશી શોધવી છે,
ખુશ થવું છે કે પછી ખામીઓ શોધીને નાખુશ રહેવુ છે.
આપણને સુખ ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી
જ્યાં સુધી આપણે વિશ્વાસ અમુક ચીજો પર કરીએ
અને અમલ કરીએ બીજી જ કોઈ ચીજ પર.
આપણા શ્વાસ અને આપણા વિચારો સતત ચાલતા જ રહે છે,
ન તો તેને રોકી શકાય છે કે ન તો તેને અટકાવી શકાય છે.
હા વિચારોને વાળી શકાય છે, ખરાં.
એટલે જ તો કહેવાય છે કે
સારા વિચારો ધરાવવા એ આંતરીક સુંદરતાની સચોટ નીશાની છે.
જીવન એટલે પ્રભુ સાથે ચેસની રમત રમવી.
આપણી દરેક ચાલ બાદ તે ચાલ ચાલે છે.
ફરક માત્ર એટલો છે કે આપણી ચાલ પસંદગી કહેવાય છે
અને તેની ચાલ એ કસોટી કહેવાય છે.
ભગવાન ક્યારેય દુખ આપતા નથી,
જે કાંય દુખ જેવુ અનુભવાતુ હોય છે
તે આપણાથી આચરાયેલા કર્મોનુ ફળ હોય છે.
 જીવનમા ક્યારેક આપણને દુખનો ભાર લાગે છે
તે આપણા ઉપર આપણો જ અધિકાર છે તેની ચેતવણી છે.
જ્યારે દુખનો ભાર હોય છે ત્યારે એક અનુભવ એવો થાય છે કે
આપણને એમ લાગે કે જે કોઈ લોકો આપણને મળતા હોય છે
તેઓ આપણાથી વધુ સમજદાર લાગતા હોય છે.
એટલે જ તો કોઈ સંતે કહ્યું છે કે
જો બધું જ પકડીને રાખશો તો અંતે તો કાંઈ મળવાનુ નથી.
દુખને પકડી રાખતા નહી, તેને વ્યક્ત થવા દેજો,
સમય જતાં તે પણ જતુ રહેશે.
આપણા જીવનમા આવતા દુખ શેને આભારી છે તે જાણો છો ?
આપણે બસ, અધિકાર જતાવવામાંથી બહાર નીકળી શકતા નથી.
એક વાત બરોબર સમજવા જેવી છે કે
અધિકારનો નશો આપણને અંધ બનાવી મુકે છે.
જો આપણે કાંઈ પકડી રાખવું હોય
તો સૌ પ્રથમ તો તેને છોડતા શીખી જવુ જોઈએ.
દુખ ને જો છોડી શકીએ તો જ સુખને પકડી શકાય છે,
જે નિર્વિવાદ સત્ય છે.

Thursday, November 10, 2011

11-11-11

લીંબુ. તેનામાં પોટેશ્યમ ભરપુર હોવાથી હ્રદય માટે તે ગુણકારી છે. તેમાં વિટામીન સી વધુ હોવાથી તે સ્ફુર્તિ દાયક અને તંદુરસ્તી વર્ધક, કુદરતી ક્લીન્ઝર છે. શરીરની આંતરિક સફાઈ માટે તે ઉત્તમ ગુણકારી છે. તેનામાં બેક્ટેરીયાને નાશ કરવાની અપાર શક્તિ રહેલી છે.શરીરમા રહેલા ઝેરી તત્વોનો તે સફાયો કરી જાણે છે. ખોરાક ઉપર તેનો રસ ઉમેરી ખાવાથી પાચન સારુ થાય છે અને ગેસ ઉત્પન્ન થતો નથી.આખુ વરસ રોજનુ એક લીંબુના રસનુ સેવન કરવુ જોઈએ.
શીયાળામાં તેનો વિશેષ ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે.
લીંબુના વિવિધ ઉપયોગ. કબજીયાતના દર્દ માટે દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમા એક લીમ્બુનો રસ ઉમેરી પીવાથી પેટના બધાજ વિકારો મટે છે.અઠવાડીયામા એક વખત નવશેકા પાણીમા એક લીમ્બુનો રસ તથા થોડુક સંચળ ઉમેરી પીવાથી આંતરડાની સફાઈ થાય છે.લીમ્બુના રસમા મધ અને કાળા મરીનો ભુકો ઉમેરી પીવાથી એડકી બંધ થાય છે.તાઝા લીમ્બુના રસની નાકમાં પીચકારી મારવાથી નસકોરી ફુટી હોય તો લોહી નીકળતુ બંધ થઈ જાય છે.ચપટી હીંગને લીમ્બુ રસ સાથે ચુસવાથી વાઈ ના રોગમાં લાભ થાય છે.સરસવ ના તેલ સાથે લીમ્બુના રસને ભેળવી દાંત પર ઘસવાથી દાંતની ચમકમાં વધારો થાય છે, સાફ થાય છે. લીમ્બુના રસ સાથે ફટકડીનુ ચુર્ણ મીક્ષ કરી ખરજવાવાળી જગ્યાએ લગાવવાથી ખરજવુ મટી શકે છે. લીમ્બુના રસને સાંધાઓ દુખતા હોય તો તે જગ્યાએ ઘસવાથી સોજા કે દુખાવો મટી જઈ શકે છે. થોડાક લીંવુ લેવા તેના દરેકના ચાર ટુકડા કરી તેની સાથે મરી અને સુંઠનુ વ્હુર્ણ રાખી તે બધાયને એક બાટલીમા ભરી લેવા. આ બાટલીને એક માસ સુધી તડકે રાખવી જેથી બધાય લીંબુ ગળી જાશે. હવે તેમાથી થોડુ થોડુ દરેક જમણ પહેલા લેવાથી,અરુચી ઉબકા મંદાગ્ની કબજીયાત મોઢામા બેસ્વાદ પણુ મોઢામાથી લાળ પડ્યે રાખવી વગેરે તકલીફોમાંથી છુટકારો મળી જાય છે.કમળો લીવરની તકલીફ કે ગેસ રહેતો હોય તો હીતાવહ છે.

Sunday, September 11, 2011

અણમોલ ભેંટ

मस्तीसे झुमना ईबादतसे कम नही होता
અસંખ્ય અને અદભુત રંગોનો સાગર એટલે આપણુ જીવન.
અને આ તમામ રંગો પૈકી અગત્યના રંગો એટલે
ઘણુ બધુ સાંભળી શકવુ, ઘણુ બધુ સુંઘી શક્વુ,
ઘણુ બધુ જોઈ શક્વુ, ઘણા બધા સ્વાદ માણી શકવા વગેરે
આ તમામ આપણને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી અણમોલ ભેંટ છે.
આવી અણમોલ ભેંટનો
શું ખરેખર આપણે ઉપયોગ કરી શકીએ છીએ ખરાં ?
જરા નીરાંતે વિચાર કરવાથી સમજાય છે કે
એ લગભગ શક્ય બનતુ નથી હોતું.
આપણે એજ સાંભળતા હોય છીએ જે આપણને ગમતુ હોય
અથવા તો જેમા આપણો કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે.
આપણે એજ સુંઘી શકીએ છીએ જે સુગંધ આપણને ગમતી હોય છે.
જોવા ની જ્યારે વાત આવે છે ત્યારે કહેવાનુ કે
આપણે ખરેખર કશુ જોઈ શકીએ છીએ?
બસ, એજ જોઈ છીએ
 જે આપણને ઉપયોગી હોય કે આપણા માટે લાભદાયી હોય.
અને સ્વાદની વાત આવે ત્યારે તો
આપણને ગમતો સ્વાદ યાદ આવી જાય
અને મોઢામાં પાણી આવવા લાગે ખરું ને.
પણ તે શીવાયના સ્વાદ ક્યારેય પારખી શકીએ છીએ ખરા?
માણી શકીએ છીએ ખરા ?
વાસ્તવિકતા એ છે કે આપણે સ્વીકારી લીધેલા
બંધનો અને મર્યાદાઓ જ
આપણને આ અણમોલ ભેંટનો સદ ઉપયોગ કરતા રોકી રાખે છે.
હકીકત એ છે કે આપણે તેનો સદ ઉપયોગ કરવા માટે
આપણી જાતને કેળવવી પડે છે,
કેળવણી વગર એ તમામ શક્ય નથી.
જ્યાં સુધી મનને કેળવી ન શકીએ ત્યાં સુધી તે શક્ય નથી.
ઈન્દ્રીયો તો પોતાના ભાગે આવેલુ કાર્ય કરી જાણે છે,
તેના થકી આનંદ અને સુખ પ્રાપ્ત કરવા માટે મનને કેળવવુ પડે છે.
આપણી પાસે આંખો તો છે જ,
પરંતુ દ્રષ્ટિ હોતી નથી એવુ બની શકે છે.
દ્રષ્ટિ મેળવવા માટે મનને શીક્ષણ આપવું પડે છે,
તૈયાર કરવુ પડે છે.
માનસિક દ્રષ્ટિ વગર આંખો કશું કરી શક્તી નથી,
હા જોઈ શકાવે છે, પરંતુ આનંદ પ્રાપ્ત કરાવી શક્તી નથી.
આ નીયમ અન્ય ઈન્દ્રીયોના કાર્યને પણ લાગુ પડે છે.
સુંઘવુ, સ્વાદ માણવો, સાંભળવુ વગેરે માટે યોગ્ય કેળવણીની જરુર રહે છે.
જ્યાં સુધી આપણામા આ તમામ કેળવણીઓ કેળવાશે નહી
ત્યાં સુધી ઈશ્વરે આપણને આપેલી પેલી ભેંટોનો
આપણે સદ ઉપયોગ કરી શકીશુ નહી.

પૈસા હોય ત્યાં પ્રષ્નો હોય જ,
રુપીયા હોય ત્યાં રોદણા હોય જ,
મીલકત હોય ત્યાં માયા હોય જ,
અને જો આ પૈકી કાંય ન હોય તો
જીવનમા એકદમ સુખ શાંતી અને સંતોષ તો હોય જ

Saturday, September 3, 2011

Blood & Tongue

લોહી ફરતું રહે તો શરીર જીવંત રહે,
સંપતી ફરતી રહે તો દેશ જીવંત રહે,
શબ્દો ફરતા રહે તો સંબંધ ટકે,
કહેવાનુ એટલુંજ કે
આ બધા જો ફરતા ન રહે, સ્થગિત થઈ જાય
તો જે તે ક્ષેત્રી અરાજકતા વ્યાપી જાય.
પરંતુ એથી પણ આગળ જો વિચારીએ તો સમજાય છે કે,
શુધ્ધ લોહી ફરતુ રહે તો જ શરીર તંદુરસ્તી પામી શકે છે.
એક નંબરની સંપતી ફરતી રહે તો જ દેશમા ફુગાવો અટકી શકે છે,
શબ્દો જો લાગણીસભર અને વિવેકમય હોય
તો જ સંબંધોમા મીઠાશ વધે છે.
ભાષા એ માણસના મનની આત્મકથા છે.
તેથી એમ કહી શકાય કે ગંદા અને અશિષ્ટ શબ્દોનુ ઉચ્ચારણ
એ તો બગડેલા દીમાગની જાહેરાત કહેવાય છે. 
ચીઝ વસ્તુઓના આદાન પ્રદાન (વેપાર) નુ માધ્યમ રુપીયો પૈસો છે 
તેવી જ રીતે વિચારોના આદાન પ્રદાનનુ માધ્યમ ભાષા છે.
જેવા રુપીયા પૈસા ખર્ચીએ તેના પ્રમાણમા ચીજ વસ્તુઓ મળી શકે છે.
તેવીજ રીતે જો શિષ્ટ ભાષા વાપરીએ
તો સારા વિચારોનુ આદાન પ્રદાન સારુ જ થાય છે.
ભાષાનુ આ એક ગણિત સમજવા જેવું છે કે,
સારી વાતો ક્યારેય અશિષ્ટ ભાષામા રજુ કરી શકાતી નથી,
પણ નબળી કે ખરાબ વાતો ધારીએ તો
શિષ્ટ ભાષામા રજુ કરી શકાય છે.
રોજ બરોજ આપણા મનમા હોય
તેના કરતા જુદુજ બોલતા રહીએ, વર્તતા રહીએ
તો આપણા શારીરીક અને માનસીક આરોગ્ય પર
                                                 ખતરો ઉભો થયા વીના રહેતો નથી.

Saturday, August 27, 2011

તંદુરસ્તી

 સારી તંદુરસ્તી જાળવી રાખવા માટે ખાનપાન ના નીયમોને અનુસરવુ જોઈએ
  ખાવા પીવાના નીયમોનુ પાલન કરવામા ન આવે તો શરીર રોગગ્રસ્ત બન્યા વીના રહેતુ નથી.
માટે ખાનપાનના કેટલાક નીયમો જાણી સમજી લઈએ.
(1) જ્યાં સુધી ભુખ લાગે નહી ત્યાં સુધી ખાવુ નહી.
ઘરની અન્ય વ્યક્તિઓને જમવાનો સમય થઈ ગયો હોય  અને તેઓ જમી લેતા હોય તો પણ
આપણને જ્યાં સુધી ભુખ લાગે નહી ત્યાં સુધી જમવુ જોઈએ નહી.
(2) શારીરીક અને માનસીક શ્રમ વગર સાચી ભુખ લાગી શકતી નથી.
હર હમ્મેશ અને દરરોજ શારીરીક શ્રમ કાર્ય તો કરતા જ રહેવુ જોઈએ.
બેઠાડુ જીવનશૈલી હોય તો  દરરોજ સવાર સાંજ
બે પાંચ કીલોમીટર તો અચુક અને જડપથી ચાલતા રહેવાની આદત પાડવી જ જોઈએ.
(3) શક્ય હોય ત્યાં સુધી સવારનો નાસ્તો લેવાની આદત બંધ કરવી.
જો ન જ ચાલે તેમ હોય તો સાવ હળવો અને ઓછી માત્રામા સુપાચ્ય ખોરાક લેવો જોઈએ.
 (4) મોઢુ સુકાઈ ગયુ હોય ત્યારે જમવુ નહી,
મોઢામા કડવો સ્વાદ હોય, ખાટા ઓડકાર આવતા હોય, તો જમવુ નહી.
તેવી જ રીતે, બહુ થાકી ગયા હોઈએ, ક્રોધ કર્યો હોય ત્યારે, માનસીક ઉદ્વેગ હોય ત્યારે,
વગેરે સ્થીતીમા પહેલા થોડો આરામ કરી જે તે અસર નાબુદ થયા બાદ જમવુ જોઈએ.  
(5) એકદમ ચાવી ચાવીને ખાવુ, ક્યારેય ઉતાવળે ખાવુ નહી.
હા, જો સમયનો અભાવ હોય તો ઓછુ ખાવુ પણ ઉતાવળે તો ન જ ખાવુ.
પ્રવાહી ખોરાક અલગથી લેવા અને ધીરે ધીરે પીવા જોઈએ.
(6) ભરપેટ તો ક્યારેય ખાવુ જ નહી. થોડુ પેટ ખાલી રાખવુ.
(7) દરેક ભોજન વખતે એકી સાથે જાજી વાનગીઓ ખાવી નહી.
(8) કાચુ કચુમ્બર અચુક ખાવુ. આ કચુમ્બરમા નમક ક્યારેય નાખવુ નહી.
તેને સ્વાદીષ્ટ બનાવવા માટે લીમ્બુ અથવા તો દહીં નાખી શકાય.
(9) રસોઈ બનાવીએ તેમા મરચુ, નમક વગેરે મસાલાઓનુ પ્રમાણ ઓછુ રાખવુ. 
(10) બરફ જેવા ઠંડા પદાર્થો કે વરાળ નીકળતી હોય તેવા ગરમ પદાર્થો ખાવા નહી.
(11) રસોઈ બનાવવાની ત્રણ રીત સાત્વીક કહેવાય છે, બાફવુ, ઉકાળવુ, ભુંજવુ.
આ શીવાય તળવાની રીતને રસોઈ બનાવવા માટેની ખરાબ રીત કહેવાય છે.
માટે તળેલી ખોરાકી સામગ્રીઓનો બીલકુલ ઓછો અને નહીવંત ઉપયોગ કરવો.
(12) માદક પીણાઓ ( ચા કોફી કોલ્ડ્રીંક વગેરે) સાવ ઓછા લેવા અને ચાલી શકે તો લેવા જ નહી.
(13) મહીનામા અનુકુળતા પ્રમાણે બે થી ત્રણ ઉપવાસ તો કરી જ લેવા જોઈએ.

Tuesday, August 23, 2011

મગજ

મગજને શાંતી આપે.
ટ્રાયપોફોન નામનુ પ્રોટીન મગજને શાંતી આપવા માટે જરૂરી છે  
કારણ કે તે સેરોટીનીન નામનુ તત્વ બનાવી જાણે છે કે
જેનાથી મગજને શાંત રાખી શકાય છે.
પરીણામે મૂડ સરખો રહે છે,
આનંદ મળે છે અને હશી શકવાની ક્ષમતા મળે છે.
ખજૂર, કેળા, દુધ અને અંજીર માંથી
સારા એવા પ્રમાણમા ટ્રાયપોફોન મળે છે.
 મગજશક્તિ વિકસીત રાખે
ઓમેગા-3 ફેટી એસીડ નામનો પદાર્થ
બધાજ સુકામેવાઓ પૈકી
સૌથી વધુ પ્રમાણમા અખરોટમાં હોય છે.
દરરોજની ત્રણ નંગ અખરોટ ખાતા રહેવાથી
શરીરને ઓમેગા-3 ફેટી એસીડ મળી રહે છે.
તેથી અલ્ઝાઈમર ડીસીઝ નામનો
યાદશક્તિ ઘટવા લાગે તે રોગ થતો નથી.
વ્યક્તિની પાછલી અવસ્થામાં
આ તકલીફ થવાનુ પ્રમાણ વધુ રહેતુ હોવાથી
ત્યારે અખરોટ ખાતા રહીએ તો
યાદશક્તિ ક્ષીણ થાય કે જતી રહે
તેવા મગજમાં રહેતા પ્રોટીનના બેઈઝવાળા પદાર્થો નાશ પામે છે.

Saturday, August 6, 2011

પરિચય

માણસ માણસ વચ્ચેની સામાન્ય પહેચાન નુ નામ પરિચય.
માણસ અન્ય માણસ સાથે કોઈપણ સંબંધમાં આવે
અને  શરુઆતમા જે સ્થિતી નીર્માણ પામે તેનુ નામ પરિચય.
બે વ્યક્તીઓ વચ્ચેની સામાન્ય ઓળખાણ કે પહેચાન એટલે પરિચય.
કોઈ વ્યક્તીને ઓળખવી કે તેમના વિષે સામાન્ય માહિતી ધરાવવી
તે સ્થિતીને તે વ્યક્તી સાથે પરિચય છે તેમ કહેવાય.
પરિચયને માત્ર સામાન્ય ઓળખાણ કહેવાય.
તે એક સર્વ સામાન્ય સ્થિતી છે. 
જેનાથી કશો લાભ કે નુકસાન થતુ નથી.
પરિચયથી જે તે વ્યક્તિ પાસેથી ખાશ કશુ પ્રાપ્ત થતુ નથી.
પણ આવા પરિચયમા બન્ને પક્ષે જો માત્ર બુધ્ધી જ ભાગ લે
તો તે પરિચયને  ખપ પુરતો સંબંધ છે તેમ કહેવાય,
જે કોઈપણ વ્યક્તીના પરિચયમા આવવાથી,
ઉત્પન થતી એક સર્વ સામાન્ય સ્થિતી બની રહે છે.
કેટલીક વિશિષ્ટ સ્થિતી અનુસાર
તે પરિચયમા એક બીજાનો સ્વાર્થ ઉમેરાઈ જાય તો 
પરિચયની અવધી લંબાઈ શકે છે.
પરંતુ આવા પરિચયમા
જો આપણી લાગણી કે દિલ કે મન ભાગ લેવા મંડે
તો તે પરિચય સંબંધમા પરિણમે છે.
જે પરિચય સંબંધમા પરિણમે
અને તેમાં વારંવાર ચોખવટ કરવી પડતી હોય
તો તે લાંબા સમય સુધી ટકી શકતા નથી.
પરિચય એ એક સંબંધને શરુ કરવા માટેનુ સક્ષમ પરિબળ  છે.
પરિચયને લાંબા સમય સુધી જાળવી,
સાથોસાથ તેમા લાગણીનુ તત્વ સામેલ કરવામા આવે
તો તે ચિરંજીવી બને છે.
ચિરંજીવી બનેલા અને માત્ર લાગણીથી સર્જાયેલા સંબંધો જ,
માનવીને જીવનપર્યંત
એક બીજા સાથે જોડી રાખવાની ક્ષમતા ધરાવતા હોય છે.
આવા પરિચયો એટલે સંબંધ કે સગપણ.
જે સંબંધનો પાયો નિસ્વાર્થ લાગણી ધરાવતો હોય,
તેવા સંબંધો એક તરફી પણ અસ્તિત્વ ધરાવી શકે છે.
જે સંબંધમા બન્ને તરફી પણ ભલે વત્તે ઓછે અંશે 
લાગણી જતાવાતી હોય તો તેથી સંબંધ મજબુત થાય છે.
કોઈપણ વ્યક્તીના કોઈપણ વ્યક્તી સાથેના જોડાણને 
ત્રણ વિભાગમા વહેચી શકાય.
પરિચય, સંબંધ અને  સગપણ.
આપણે આપણા દરેક વ્યક્તી સાથેના જોડાણોને ક્યા વિભાગમા મુક્યા છે
તે જાણવુ અને અનુભવવુ અતિ જરુરી છે.
કુટુંબ વ્યવસ્થાના ભાગ રુપે, સમાજ વ્યવસ્થાના ભાગ રુપે,
નોકરી કે વ્યવસાય વ્યવસ્થાના ભાગ રુપે,
દરેક માણસ કોઈ ને કોઈ સાથે જોડાય છે ત્યારે,
તે જોડાણની સ્થિતી અને પરિણામ વિષે આપણે સ્પષ્ટ રહેવું જોઈએ.
કેટલાક જોડાણ અમુક સમય પુરતા જ હોય છે,
તો વળી અમુક જોડાણો માટે સમયની અવધી હોતી નથી.
પરંતુ જીવન પર્યંતના જોડાણો ખાશ મહત્વ ધરાવે છે.
આવા જોડાણ એટલે સગપણથી ઉદભવેલા સંબંધો.
પરિચય. એટલે એવુ જોડાણ
કે જે માત્ર ઓળખાણ અને જાણકારી પુરતુ સિમિત રહે છે.
સંબંધ, એટલે એવુ જોડાણ
કે જેમા લાગણી,દિલ અને મન સંકળાયેલુ હોય છે.
સગપણ, એટલે એવુ જોડાણ
કે જે કોઈ અનિવાર્ય સ્થિતી ઉપર આધારિત હોય
અને તેના થકીજ ઉદભવ્યુ હોય છે,
તેમાંયે લાગણી દિલ અને મન,તો સંકળાયેલુ હોયજ છે.
પરંતુ આવા જોડાણનો પાયો એ એક  વિશિષ્ટ સ્થિતી હોય છે.
જો આવી સ્થિતી આજીવન હોય
તો તે જોડાણ જીવન પર્યંત અસ્તિત્વમા રહે છે.
અને તેથી, સ્વાર્થ હોય કે ન હોય,
લાગણી દિલ કે મન સંકળાયેલુ  રહે  કે  ન રહે,
પણ તેનો જીવન પર્યંત અંત આવતો નથી.
તેથી સગપણ આધારિત જોડાણોને ક્યારેય અવગણવા ન જોઈએ.
આપણે જો આપણા આવા દરેક જોડાણોને
યોગ્ય અર્થમા સમજી શકીએ,
અનુભવી શકીએ, તો જ દરેક વ્યવસ્થાઓ મજબુત રહી શકે છે ,
દરેક સ્થિતી મજબુત બની શકે છે,
અને તેથી સમાજમા કે કુટુંબમા તંદુરસ્ત પરિસ્થિતીનુ નિર્માણ થઈ શકે છે .
જે એક અનિવાર્ય બાબત છે

Sunday, July 31, 2011

ઉતાવળ


ઈતની જલ્દી ક્યા હે ગૌરી સાજન કે ઘર જાનેકી, 
સખીયો કે સંગ બેઠ જરા, કુછ બાતે હે સમજાને કી. 
જુની હિન્દી ફિલ્મનુ આ એક રસીલું અને મધુર ગીત 
આપણને આપણા સ્વભાવનો પરિચય કરાવી જાય છે. 
આપણે ઘણી વખત જોયુ છે અને ક્યારેક અનુભવ્યુ પણ હોય છે કે 
જ્યાં આપણો વજનદાર સ્વાર્થ હોય છે ત્યાં,  જ્યાં આપણી જોરદાર લાગણી સંકળાયેલી હોય છે ત્યાં, આપણે અનહદ ઉતાવળ કરતા હોઈએ છીએ. 
આવું કેમ થતું હોય છે? 
આપણે કેમ એવી ઉતાવળ કરીએ છીએ? 
માનવીનો સ્વભાવ સામાન્ય રીતે 
લાગણીશિલ અને સ્વાર્થી તો હોય જ છે. 
પરંતુ જ્યારે આ બન્ને પરીબળોમા 
માનવીનુ મન ઓતપ્રોત થઈ જાય છે, 
ત્યારે તેને તેના શિવાય બીજુ કંઈ સુજતુ જ નથી. 
અને પરીણામે તે પોતાના તે સ્વાર્થ કે લાગણીની ત્રુપ્તી માટે 
એકદમ ઉતાવળો બની જાય છે.
વિચાર અને આચરણ વચ્ચે 
જેટલો વિલંબ વધુ 
તેટલી આચારણની તિવ્રતા ઓછી.

Friday, July 15, 2011

માનવુ પડશે હો.

* જો કોઈ વ્યક્તી આપણી તરફના પ્રેમના વર્તુળને
એકદમ નાનુ બનાવીને આપણને તે વર્તુળમાંથી બહાર કાઢી દે,
તો ગુસ્સે થયા વગર આપણા પ્રેમનુ વર્તુળ
એટલુ બધુ મોટુ બનાવી દેવુ જોઈએ
કે જેથી તેમનુ નાનુ વર્તુળ
આપણા મોટા વર્તુળમાં સમાઈ જાય
* કોઈની સાચી અને સારી વાત
આપણે કદાચ સહેલાઈથી સાંભળી શકીશું,
પરંતુ, એજ સાચી અને સારી વાતનો,
આપણા જીવનમા અમલ કરવામા તો,
નવનેજા પાણી ઉતરી જાય શકે છે.
* પગમા બુટ પહેરેલા હોય તો જ કાંટા વાળા રસ્તે ચાલજો,
એટલે કે ખીસ્સામા જેટલા દોકડા હોય તેટલા જ ઠેકડા મારજો,
નહીંતર પસ્તાવાનો વખત આવે છે.

Saturday, July 2, 2011

માનવી

કહેવાય છે કે માનવીઓ બે પ્રકારના હોય છે.
એક તો એ કે જેઓ પરીશ્રમ કરે છે,
અને બીજા એ કે જે એ પરીશ્રમથી નામ કમાય છે.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ
કે પહેલા પ્રકારના માનવી થવું સારું કહેવાય છે
કારણ કે તેમાં કોમ્પીટીશન ઓછી હોય છે.
સંસારમાં બે જાતના માનવીઓ હોય છે,
એક કે જેઓ બીજાઓના નામ યાદ રાખે છે,
અને બે કે જેઓનુ નામ બીજાઓ યાદ રાખતા હોય છે.
                                           કેવા થવું તે પસંદગી તો આપણે જ કરવાની હોય છે.
                                     માનવી તરીકે પ્રાપ્ત થતું જીવન ભાગ્યની બલીહારી હોય છે
માનવી તરીકે થતું મૃત્યુ એ સમયની બલીહારી હોય છે
પરંતુ, મૃત્યુ બાદ લોકોના મનમાં જીવીત રહેવું
તે તો આપણે કરેલા કર્મોની જ બલીહારી હોય શકે છે.
जीन्दगीको सजाना चाहते हो
तो उम्मीदों को पालना सीखना चाहीए
क्युंकी जहा उम्मीदें पलती है, होती है,
वहां ही जीन्दगी खुश्बु दे शकती है.

Sunday, June 26, 2011

મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢો

જીવનમા ડગલે અને પગલે મુશ્કેલીઓ તો ઉભી થવાની જ. 
નાની એવી મુશ્કેલીઓથી પણ જે લોકો ગભરાઈ જાય છે
અથવા તો ગભરાઈ જવાનો ડર સેવતા હોય છે
તે લોકો ભલે ગમે તેટલા બુધ્ધીશાળી હોય,
ગમે તેવા સુંદર વિચારો ધરાવતા હોય,
પણ, સરવાળે એ કાંઈ કામ આવતુ નથી.
થાય છે તે જ કે જે બાબતનો તેઓને ડર હોય છે.
કારણકે તેમની અંદર જે પડ્યું હોય છે,  ઈ વખતેજ તે બહાર આવે છે.
આમ થવા પાછળનુ કારણ શું હોય છે તે જાણો છો ?
તેઓના વિચારો કાગળના ફુલ જેવા હોય છે,
બહારથી તો તે સુંદર જ દેખાય છે,
પરંતુ અંદરથી તેમા સુગંધ હોતી નથી.
એટલે કે સૌંદર્ય હોય છે પણ સુગંધ હોતી નથી.
આપણા વિચારોમાં સુગંધ તો ત્યારે જ પ્રગટી શકે છે,
જ્યારે આપણે તેમા શક્તિનુ થોડુ સીંચન કરી શકવાની આવડત ધરાવતા હોઈએ.

Saturday, June 18, 2011

મુખવટો

મુખવટો
ક્યારેક એવું બનતું હોય છે કે
જ્યાં આપણે શોધતા હોઈ છીએ ત્યાંથી તે મળતું નથી.
કારણકે આપણી જે અપેક્ષા હોય છે
તે ત્યાંથી મળી શકે તેમ હોતું નથી.
એવું પણ બનતું હોય છે કે
આશા જ્યાં રાખી હોય ત્યાં તે ફળતી હોતી નથી.
આવું બધું બનતું રહે તેનુ નામ જ જીંદગી હોય છે,
અને તેથી ક્યારેય નિરાશ થવાનુ હોતું નથી.
આપણે આપણી અપેક્ષાઓ,
શોધ કે આશા થી ક્યારેય મોઢુ ફેરવવાનુ હોતું નથી,
બલ્કે પ્રયત્નો જોર શોરથી ચાલુ જ રાખવાના હોય છે.
જ્યારે આપણી અપેક્ષાની પુર્તી થતી નથી,
આપણી આશા ફળતી નથી કે આપણી શોધ સત્ય બનતી નથી
ત્યારે મુખ્ય કારણ રૂપ એક હકીકત એ હોય છે કે
લોકો કે સમાજના માણસો કે આપણા સગા સંબંધીઓ
બધાજ પોત પોતાના ચહેરાઓ ઉપર
એક પ્રકારનો મુખવટો પહેરીને કાયમ જીવતા હોય છે.
કેટલાક લોકો તો અનેક મુખવટાઓ પહેરી રાખતા હોય છે.
દરેક માટે અલગ અલગ મુખવટાઓ.
એટલે જ તો આપણને લોકોમા જે દેખાતું હોય છે
તે ક્યારેક સાચુ હોતુ નથી.
અને તેથી આપણી અપેક્ષાઓ ત્યાં ફળી શક્તી નથી.
કારણકે જે આશાઓ આપણે શેવી હોય છે,
તે તો પેલા મુખવાટા પ્રેરીત હોય છે પછી ફળે ક્યાંથી.
સમાજમાં આપણે જોઈએ છીએ કે
જેને આપણે મોટા માણસ ગણીએ છીએ
ત્યાં જે અપેક્ષાઓ સંતોષાતી નથી
તે જ અપેક્ષાઓ ક્યારેક નાના માણસો
સહેલાઈથી સંતોષી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
પરંતુ આપણે તેને અંડર એસ્ટીમેટ ગણતા હોય છીએ.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે
જે લોકો પ્રમાણમા ઓછા મુખવટા રાખતા હોય
તેવા લોકો જ ખરે સમયે કામ આવતા હોય છે.
અને તે એટલુજ સુચવે છે કે
આપણે જેવા હોય તેવા જ રહેવું જોઈએ,
બને ત્યાં સુધી મુખવટા પહેરીને જીવવું જોઈએ નહી.
જે સમાજમા જેટલા મુખવટા ઓછા
તે સમાજ સાધન સંપન્ન બની શકે છે.