મગજને શાંતી આપે.
ટ્રાયપોફોન નામનુ પ્રોટીન મગજને શાંતી આપવા માટે જરૂરી છે
કારણ કે તે સેરોટીનીન નામનુ તત્વ બનાવી જાણે છે કે
જેનાથી મગજને શાંત રાખી શકાય છે.
પરીણામે મૂડ સરખો રહે છે,
આનંદ મળે છે અને હશી શકવાની ક્ષમતા મળે છે.
ખજૂર, કેળા, દુધ અને અંજીર માંથી
સારા એવા પ્રમાણમા ટ્રાયપોફોન મળે છે.
મગજશક્તિ વિકસીત રાખે
ઓમેગા-3 ફેટી એસીડ નામનો પદાર્થ
બધાજ સુકામેવાઓ પૈકી
સૌથી વધુ પ્રમાણમા અખરોટમાં હોય છે.
દરરોજની ત્રણ નંગ અખરોટ ખાતા રહેવાથી
શરીરને ઓમેગા-3 ફેટી એસીડ મળી રહે છે.
તેથી અલ્ઝાઈમર ડીસીઝ નામનો
યાદશક્તિ ઘટવા લાગે તે રોગ થતો નથી.
વ્યક્તિની પાછલી અવસ્થામાં
આ તકલીફ થવાનુ પ્રમાણ વધુ રહેતુ હોવાથી
ત્યારે અખરોટ ખાતા રહીએ તો
યાદશક્તિ ક્ષીણ થાય કે જતી રહે
તેવા મગજમાં રહેતા પ્રોટીનના બેઈઝવાળા પદાર્થો નાશ પામે છે.
No comments:
Post a Comment