ક્યારેક એવું બનતું હોય છે કે આપણે જ્યાં શોધતા હોઈ છીએ ત્યાંથી તે મળતું નથી.
કારણકે આપણી જે અપેક્ષા હોય છે તે ત્યાંથી મળી શકે તેમ હોતું નથી.
એવું પણ બનતું હોય છે કે આશા જ્યાં રાખી હોય ત્યાં તે ફળતી હોતી નથી.
આવું બધું બનતું રહે તેનુ નામ જ જીંદગી હોય છે,
અને તેથી ક્યારેય નિરાશ થવાનુ હોતું નથી.
આપણે આપણી અપેક્ષાઓ, શોધ કે આશા થી ક્યારેય મોઢુ ફેરવવાનુ હોતું નથી,
બલ્કે પ્રયત્નો જોર શોરથી ચાલુ જ રાખવાના હોય છે.
આપણી અપેક્ષાની પુર્તી થતી નથી,
આપણી આશા ફળતી નથી કે આપણી શોધ સત્ય બનતી નથી
ત્યારે મુખ્ય કારણ રૂપ હકીકત એ હોય છે કે સમાજના માણસો
કે આપણા સગા સંબંધીઓ બધાજ પોત પોતાના ચહેરાઓ ઉપર
એક પ્રકારનો મુખવટો પહેરીને કાયમ જીવતા હોય છે.
કેટલાક લોકો તો અનેક મુખવટાઓ પહેરી રાખતા હોય છે.
દરેક માટે અલગ અલગ મુખવટાઓ.
એટલે જ તો આપણને લોકોમા જે દેખાતું હોય છે તે ક્યારેક સાચુ હોતુ નથી.
અને તેથી આપણી અપેક્ષાઓ ત્યાં ફળી શક્તી નથી.
કારણકે જે આશાઓ આપણે શેવી હોય છે,
તે તો પેલા મુખવટા પ્રેરીત હોય છે પછી ફળે ક્યાંથી.
સમાજમાં આપણે જોઈએ છીએ કે જેને આપણે મોટા માણસ ગણીએ છીએ
ત્યાં જે અપેક્ષાઓ સંતોષાતી નથી
તે જ અપેક્ષાઓ ક્યારેક નાના માણસો
સહેલાઈથી સંતોષી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
પરંતુ આપણે તેને અંડર એસ્ટીમેટ કરતા હોય છીએ.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે
જે લોકો પ્રમાણમા ઓછા મુખવટા રાખતા હોય
તેવા લોકો જ ખરે સમયે કામ આવતા હોય છે.
અને તે એટલુજ સુચવે છે કે આપણે જેવા હોય તેવા જ રહેવું જોઈએ,
બને ત્યાં સુધી મુખવટા પહેરીને જીવવું જોઈએ નહી.
જે સમાજમા જેટલા મુખવટા ઓછા તે સમાજ સાધન સંપન્ન બની શકે છે.
એક વાત સમજવા જેવી એ છે કે.....
વ્યક્તિ ક્યારેય ખોટી નથી હોતી,
ખરાબ નથી હોતી કે નાકામ નથી હોતી.
હા, ક્યારેક સંજોગો એવા નિર્માણ પામે છે કે
ત્યારે આપણે કોઈ વિષે એવું તેવુ સમજીએ,
અનુભવીએ કે માનીએ છીએ.
ખરેખર જો વ્યક્તિઓ તેવીજ હોય તો
આ શ્રુષ્ટી, દુનિયા, જીવવાને લાયક જ ન રહી હોય.
પરંતુ આશ્ચર્ય તો તે બાબતનું છે કે આપણે જીવી રહ્યા છીએ
અને તે બાબતજ તે હકીકતનો સક્ષમ પુરાવો બની રહે છે.
આપણા જીવનમાં
.
જ્યારે
જેમ જેમ આપણી ઉમર વધતી જાય
તેમ તેમ ઝડપ અને શક્તિ ભલે ઘટતી જાય.
પરંતુ, આવડત, કૌશલ્ય, હોંશીયારી અને ચતુરાઈ તો વધતીજ રહેવી જોઈએ.
આપણે સૌ કુટુમ્બ લઈને બેઠા હોય છીએ
તેથી આપણા
કહેવાય છે કે દરેક કામમાં કાંઈ ને કાંઈ તો જોખમ રહેલું જ હોય છે
પરંતુ કશું જ કરવું નહી તેના જેવું મોટુ જોખમ તો એકેય નથી.
એક વાત પ્રત્યે આપણુ ધ્યાન ક્યારેય જતું હોતું નથી
તે વાત તો બસ એટલીજ છે કે આપણે ભલે તેને ધન કહેતા નથી બાકી,
દુખ આવે ત્યારે અનુભવની કમાણી તો થતી જ હોય છે.
આપણી કાયાને ક્યારેય કરગરવુ ગમતુ હોતુ નથી.
અને, મનને ક્યારેય મરવુ ગમતુ હોતુ નથી.
કાયાની સક્ષમતા અને મન ઉપરનો કાબુ,
દરેક વ્યક્તિ માટે અમુલ્ય જીવાદોરી સમાન છે.
સારા દેખાવુ સૌ કોઈને ગમતી વાત હોય છે
પણ
અને છેલ્લે એક વાત
જેમ જેમ રુપીયા પૈસા વધતા જાય
તેમ તેમ પરાધિનતા વધતી જાય અને સ્વાધિનતા ઘટતી જાય
આપણી કમનસીબી છે કે, આપણે પંખીની જેમ ઉડી શકીએ,
કોયલની જેમ ગીતો ગાય શકીએ, મોરની જેમ નાચી શકીએ,
માછલીની જેમ તરી શકીએ, પણ..... માનવીની જેમ જીવી શકતા નથી.