Sunday, July 31, 2011

ઉતાવળ


ઈતની જલ્દી ક્યા હે ગૌરી સાજન કે ઘર જાનેકી, 
સખીયો કે સંગ બેઠ જરા, કુછ બાતે હે સમજાને કી. 
જુની હિન્દી ફિલ્મનુ આ એક રસીલું અને મધુર ગીત 
આપણને આપણા સ્વભાવનો પરિચય કરાવી જાય છે. 
આપણે ઘણી વખત જોયુ છે અને ક્યારેક અનુભવ્યુ પણ હોય છે કે 
જ્યાં આપણો વજનદાર સ્વાર્થ હોય છે ત્યાં,  જ્યાં આપણી જોરદાર લાગણી સંકળાયેલી હોય છે ત્યાં, આપણે અનહદ ઉતાવળ કરતા હોઈએ છીએ. 
આવું કેમ થતું હોય છે? 
આપણે કેમ એવી ઉતાવળ કરીએ છીએ? 
માનવીનો સ્વભાવ સામાન્ય રીતે 
લાગણીશિલ અને સ્વાર્થી તો હોય જ છે. 
પરંતુ જ્યારે આ બન્ને પરીબળોમા 
માનવીનુ મન ઓતપ્રોત થઈ જાય છે, 
ત્યારે તેને તેના શિવાય બીજુ કંઈ સુજતુ જ નથી. 
અને પરીણામે તે પોતાના તે સ્વાર્થ કે લાગણીની ત્રુપ્તી માટે 
એકદમ ઉતાવળો બની જાય છે.
વિચાર અને આચરણ વચ્ચે 
જેટલો વિલંબ વધુ 
તેટલી આચારણની તિવ્રતા ઓછી.

Friday, July 15, 2011

માનવુ પડશે હો.

* જો કોઈ વ્યક્તી આપણી તરફના પ્રેમના વર્તુળને
એકદમ નાનુ બનાવીને આપણને તે વર્તુળમાંથી બહાર કાઢી દે,
તો ગુસ્સે થયા વગર આપણા પ્રેમનુ વર્તુળ
એટલુ બધુ મોટુ બનાવી દેવુ જોઈએ
કે જેથી તેમનુ નાનુ વર્તુળ
આપણા મોટા વર્તુળમાં સમાઈ જાય
* કોઈની સાચી અને સારી વાત
આપણે કદાચ સહેલાઈથી સાંભળી શકીશું,
પરંતુ, એજ સાચી અને સારી વાતનો,
આપણા જીવનમા અમલ કરવામા તો,
નવનેજા પાણી ઉતરી જાય શકે છે.
* પગમા બુટ પહેરેલા હોય તો જ કાંટા વાળા રસ્તે ચાલજો,
એટલે કે ખીસ્સામા જેટલા દોકડા હોય તેટલા જ ઠેકડા મારજો,
નહીંતર પસ્તાવાનો વખત આવે છે.

Saturday, July 2, 2011

માનવી

કહેવાય છે કે માનવીઓ બે પ્રકારના હોય છે.
એક તો એ કે જેઓ પરીશ્રમ કરે છે,
અને બીજા એ કે જે એ પરીશ્રમથી નામ કમાય છે.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ
કે પહેલા પ્રકારના માનવી થવું સારું કહેવાય છે
કારણ કે તેમાં કોમ્પીટીશન ઓછી હોય છે.
સંસારમાં બે જાતના માનવીઓ હોય છે,
એક કે જેઓ બીજાઓના નામ યાદ રાખે છે,
અને બે કે જેઓનુ નામ બીજાઓ યાદ રાખતા હોય છે.
                                           કેવા થવું તે પસંદગી તો આપણે જ કરવાની હોય છે.
                                     માનવી તરીકે પ્રાપ્ત થતું જીવન ભાગ્યની બલીહારી હોય છે
માનવી તરીકે થતું મૃત્યુ એ સમયની બલીહારી હોય છે
પરંતુ, મૃત્યુ બાદ લોકોના મનમાં જીવીત રહેવું
તે તો આપણે કરેલા કર્મોની જ બલીહારી હોય શકે છે.
जीन्दगीको सजाना चाहते हो
तो उम्मीदों को पालना सीखना चाहीए
क्युंकी जहा उम्मीदें पलती है, होती है,
वहां ही जीन्दगी खुश्बु दे शकती है.