Saturday, August 27, 2011

તંદુરસ્તી

 સારી તંદુરસ્તી જાળવી રાખવા માટે ખાનપાન ના નીયમોને અનુસરવુ જોઈએ
  ખાવા પીવાના નીયમોનુ પાલન કરવામા ન આવે તો શરીર રોગગ્રસ્ત બન્યા વીના રહેતુ નથી.
માટે ખાનપાનના કેટલાક નીયમો જાણી સમજી લઈએ.
(1) જ્યાં સુધી ભુખ લાગે નહી ત્યાં સુધી ખાવુ નહી.
ઘરની અન્ય વ્યક્તિઓને જમવાનો સમય થઈ ગયો હોય  અને તેઓ જમી લેતા હોય તો પણ
આપણને જ્યાં સુધી ભુખ લાગે નહી ત્યાં સુધી જમવુ જોઈએ નહી.
(2) શારીરીક અને માનસીક શ્રમ વગર સાચી ભુખ લાગી શકતી નથી.
હર હમ્મેશ અને દરરોજ શારીરીક શ્રમ કાર્ય તો કરતા જ રહેવુ જોઈએ.
બેઠાડુ જીવનશૈલી હોય તો  દરરોજ સવાર સાંજ
બે પાંચ કીલોમીટર તો અચુક અને જડપથી ચાલતા રહેવાની આદત પાડવી જ જોઈએ.
(3) શક્ય હોય ત્યાં સુધી સવારનો નાસ્તો લેવાની આદત બંધ કરવી.
જો ન જ ચાલે તેમ હોય તો સાવ હળવો અને ઓછી માત્રામા સુપાચ્ય ખોરાક લેવો જોઈએ.
 (4) મોઢુ સુકાઈ ગયુ હોય ત્યારે જમવુ નહી,
મોઢામા કડવો સ્વાદ હોય, ખાટા ઓડકાર આવતા હોય, તો જમવુ નહી.
તેવી જ રીતે, બહુ થાકી ગયા હોઈએ, ક્રોધ કર્યો હોય ત્યારે, માનસીક ઉદ્વેગ હોય ત્યારે,
વગેરે સ્થીતીમા પહેલા થોડો આરામ કરી જે તે અસર નાબુદ થયા બાદ જમવુ જોઈએ.  
(5) એકદમ ચાવી ચાવીને ખાવુ, ક્યારેય ઉતાવળે ખાવુ નહી.
હા, જો સમયનો અભાવ હોય તો ઓછુ ખાવુ પણ ઉતાવળે તો ન જ ખાવુ.
પ્રવાહી ખોરાક અલગથી લેવા અને ધીરે ધીરે પીવા જોઈએ.
(6) ભરપેટ તો ક્યારેય ખાવુ જ નહી. થોડુ પેટ ખાલી રાખવુ.
(7) દરેક ભોજન વખતે એકી સાથે જાજી વાનગીઓ ખાવી નહી.
(8) કાચુ કચુમ્બર અચુક ખાવુ. આ કચુમ્બરમા નમક ક્યારેય નાખવુ નહી.
તેને સ્વાદીષ્ટ બનાવવા માટે લીમ્બુ અથવા તો દહીં નાખી શકાય.
(9) રસોઈ બનાવીએ તેમા મરચુ, નમક વગેરે મસાલાઓનુ પ્રમાણ ઓછુ રાખવુ. 
(10) બરફ જેવા ઠંડા પદાર્થો કે વરાળ નીકળતી હોય તેવા ગરમ પદાર્થો ખાવા નહી.
(11) રસોઈ બનાવવાની ત્રણ રીત સાત્વીક કહેવાય છે, બાફવુ, ઉકાળવુ, ભુંજવુ.
આ શીવાય તળવાની રીતને રસોઈ બનાવવા માટેની ખરાબ રીત કહેવાય છે.
માટે તળેલી ખોરાકી સામગ્રીઓનો બીલકુલ ઓછો અને નહીવંત ઉપયોગ કરવો.
(12) માદક પીણાઓ ( ચા કોફી કોલ્ડ્રીંક વગેરે) સાવ ઓછા લેવા અને ચાલી શકે તો લેવા જ નહી.
(13) મહીનામા અનુકુળતા પ્રમાણે બે થી ત્રણ ઉપવાસ તો કરી જ લેવા જોઈએ.

No comments:

Post a Comment