લીંબુ. તેનામાં પોટેશ્યમ ભરપુર હોવાથી હ્રદય માટે તે ગુણકારી છે. તેમાં વિટામીન સી વધુ હોવાથી તે સ્ફુર્તિ દાયક અને તંદુરસ્તી વર્ધક, કુદરતી ક્લીન્ઝર છે. શરીરની આંતરિક સફાઈ માટે તે ઉત્તમ ગુણકારી છે. તેનામાં બેક્ટેરીયાને નાશ કરવાની અપાર શક્તિ રહેલી છે.શરીરમા રહેલા ઝેરી તત્વોનો તે સફાયો કરી જાણે છે. ખોરાક ઉપર તેનો રસ ઉમેરી ખાવાથી પાચન સારુ થાય છે અને ગેસ ઉત્પન્ન થતો નથી.આખુ વરસ રોજનુ એક લીંબુના રસનુ સેવન કરવુ જોઈએ.
શીયાળામાં તેનો વિશેષ ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે.
લીંબુના વિવિધ ઉપયોગ. કબજીયાતના દર્દ માટે દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમા એક લીમ્બુનો રસ ઉમેરી પીવાથી પેટના બધાજ વિકારો મટે છે.અઠવાડીયામા એક વખત નવશેકા પાણીમા એક લીમ્બુનો રસ તથા થોડુક સંચળ ઉમેરી પીવાથી આંતરડાની સફાઈ થાય છે.લીમ્બુના રસમા મધ અને કાળા મરીનો ભુકો ઉમેરી પીવાથી એડકી બંધ થાય છે.તાઝા લીમ્બુના રસની નાકમાં પીચકારી મારવાથી નસકોરી ફુટી હોય તો લોહી નીકળતુ બંધ થઈ જાય છે.ચપટી હીંગને લીમ્બુ રસ સાથે ચુસવાથી વાઈ ના રોગમાં લાભ થાય છે.સરસવ ના તેલ સાથે લીમ્બુના રસને ભેળવી દાંત પર ઘસવાથી દાંતની ચમકમાં વધારો થાય છે, સાફ થાય છે. લીમ્બુના રસ સાથે ફટકડીનુ ચુર્ણ મીક્ષ કરી ખરજવાવાળી જગ્યાએ લગાવવાથી ખરજવુ મટી શકે છે. લીમ્બુના રસને સાંધાઓ દુખતા હોય તો તે જગ્યાએ ઘસવાથી સોજા કે દુખાવો મટી જઈ શકે છે. થોડાક લીંવુ લેવા તેના દરેકના ચાર ટુકડા કરી તેની સાથે મરી અને સુંઠનુ વ્હુર્ણ રાખી તે બધાયને એક બાટલીમા ભરી લેવા. આ બાટલીને એક માસ સુધી તડકે રાખવી જેથી બધાય લીંબુ ગળી જાશે. હવે તેમાથી થોડુ થોડુ દરેક જમણ પહેલા લેવાથી,અરુચી ઉબકા મંદાગ્ની કબજીયાત મોઢામા બેસ્વાદ પણુ મોઢામાથી લાળ પડ્યે રાખવી વગેરે તકલીફોમાંથી છુટકારો મળી જાય છે.કમળો લીવરની તકલીફ કે ગેસ રહેતો હોય તો હીતાવહ છે.
No comments:
Post a Comment