Saturday, May 28, 2011

વિવેક અને અવિવેક

વિવેક એટલે શું અને વિવેક કોને કહેવાય.
તેનો આપણને અનુભવ છે અને આપણે જાણીએ પણ છીએ.
તો પણ અહીં તેને વિસ્ત્રુત રીતે અર્થ ઘટન કરી
સમજવાની કોશિશ કરીએ તો કદાચ વાંચવુ ગમશે.
માનવીના દિલ અને દિમાગ માંથી ઉત્પન થતી
હકારાત્મક લાગણીઓનો સ્વિકાર કરવો એટલે વિવેક.
જે લાગણી સાર અસારનો અર્થભેદ કરી
માત્ર સારનો અનુભવ કરાવી શકે તેનુ નામ વિવેક.
જ્યારે માનવી હકારાત્મક વલણ અખત્યાર કરે,
અને પરીણામે થતી ક્રીયા કે પ્રતીક્રીયા એટલે વિવેક.
કોઈપણ સ્થીતીમા માનવી જ્યારે આનન્દની લાગણી વ્યક્ત કરે
કે હર્ષ અનુભવે ત્યારે તે વિવેકની તદ્દન નજીક હોય છે.
અને આવી સ્થીતીમા જ્યારે માન કે આદર ઉમેરાઈ જાયતો તેને કહેવાય વિવેક.
વિવેક એ માનવ પ્રતિભાનુ સારુ અને જમા પાસુ કહેવાય છે.
વિવેક માનવી માટેનુ આભુષણ ગણાય છે.
વિવેક માનવીના ઘણા બધા કાર્યોમા મહત્વની ભુમિકા ભજવી શકે છે
કેમ કે તે ઓછી મહેનતે કાર્યો પાર પાડી શકે છે.
વિવેક વ્રુત્તીનો જ્યારે જ્ઞાન સાથે જોડાણ થાય છે
ત્યારે જન્મ લે છે અપણી વિવેકબુધ્ધી.
માનવી પોતે કેળવેલી વિવેક બુધ્ધીનો સદ ઉપયોગ કરે છે
ત્યારે તેને કેટલીક સફળતાઓ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે.
વિવેક અને બુધ્ધીનુ આ સંયોજન કેટલીક મુશ્કેલીઓમા
બહુજ અસરકારક રીતે કામયાબ નીવડે છે.
આપણી વિવેકબુધ્ધીને વિકસાવીએ અને મજબુત રાખીએ.
માનવીના દિલ અને દિમાગમાંથી ઉત્પન થતી
નકારાત્મક લાગણીઓનો અમલ કરવો એટલે અવિવેક.
જે લાગણી સાર અસારની સમજણ આપ્યા બાદ
અસાર નો અમલ કરવાની પ્રેરણા કરે તેનુ નામ અવિવેક.
સામાન્ય સંજોગોમા પણ, માનવી નકારાત્મક લાગણીને પોષે,
અને તદ અનુસાર વર્તે તેનુ નામ અવિવેક.
અપમાન જનક પ્રતિક્રીયા આપતા પહેલા
માનવીની જે માનસિકતા હોય તેનુ નામ અવિવેક.
અવિવેક બળવત્તર થવાથી માનવી દ્વારા થતી ક્રીયા કે
અપાતી પ્રતીક્રીયા એટલે અપમાન.
જો કે એવુ કહી શકાય કે અવિવેક જતાવવા કરતા
અપમાન કરવુ તે આપણી લાગણીનો વધારે ખરાબ પ્રકાર છે.
માનવી જ્યારે નકારાત્મક લાગણીને પોષે અને
તેમાંથી પ્રેમ જતો રહે ત્યારે તૈયાર થાય છે અવિવેક.
આવી સ્થીતીમા પ્રેમની ગેરહાજરી બાદ
જો તેમા થોડી ઘણી પણ નફરત ઉમેરાઈ જાય તે અપમાન.
અપમાન અને અવિવેક વચ્ચે માત્ર નફરતની હાજરી અને પ્રેમની ગેરહાજરી,
આટલોજ તફાવત રહી જાય છે.
અવિવેક ને માનવીનુ નબળુ પાસુ કહેવામા આવે છે,
તેથી તે આપણી પ્રગતીમા આડખીલી રુપ બની શકે છે.
અવિવેકનો જ્યારે જ્ઞાન સાથે જોડાણ થાય છે
ત્યારે તે માનવી તામસી બની જાય છે.
અવિવેક અને બુધ્ધીનુ આ સંયોજન માનવીને સાહજીક સફળતાથી દુર રાખે છે.
અવિવેક અને અપમાનથી હર હમ્મેશ દુર રહેવુ જોઈએ.

1 comment: