Saturday, May 7, 2011

જીવન શૈલી

માણસોની જીવનશૈલી વિશે વિચારવુ હોય તો ઘણી બધી બાબતોનો સમાવેશ કરી શકાય.
તે બધી બાબતો પૈકી, એક વિશેષ મહત્વ ધરાવતી બાબત તે નકારાત્મકતા.
આપણે આપણા જીવનમાં, આપણા વાણી, વર્તન કે વ્યવહારમા, નકારાત્મકતાનો ઉપયોગ
જેટલો ઓછો કરીએ,તેટલુ આપણુ જીવન સારું અને સરળતાથી જીવી શકાયછે.
એવી કેટલાયે વ્યક્તિ જોવા મળશે
જે કોઈપણ વાતની શરુઆત નકારથી કરતી હોય છે.
જે વ્યક્તિ સતત સાવચેતી લક્ષી વિચારધારા ધરાવતી હોય,
પોતાની જાતને વિશેષ અસુરક્ષીત અનુભવતી હોય,
તે વ્યક્તિ લગભગ આવી વ્રતી ધરાવતી થઈ જાય છે.
બીજાની સપેક્ષમાં પોતે ચડિયાતી છે, હોંશિયાર છે, મહત્તાવાળી છે,
તેવી બાબતોને મનમા રાખતી વ્યક્તિ, આવી મનોવ્રત્તીનો શિકાર થઈ શકે છે,
અને તે પ્રમાણે વર્તન કરતી થઈ જાય છે. પરિણામે તે વ્યક્તિ જલ્દીથી અણખામણી બની શકે છે,
અને આંતરિક રીતે એકલતા અનુભવી શકે છે.
તેથી જ તો કહેવાય છે કે, જો હા પાડતા પહેલા બે વખત વિચારતા હોય તો,
ના પાડતા પહેલા દસ વખત વિચારવુ જોઈએ.
કારણ કે હકારાત્મકતા એક બીજાને નજીક લાવવા માટેનુ સબળ પરિબળ કહેવાય છે,
જ્યારે નકારાત્મકતા એક બીજાને દુર રાખવા માટેનુ સક્ષમ પરિબળ મનાય છે.
જરા હસી લઈએ
જેના વિષે નથી કરી શકાતી કશી આગાહી તે બીજુ કાંઈ નહી પણ માણસ જાત છે.
લોકોને બીજુ કશુ ન આવડે તો ચાલશે, પણ બહાના કઢતા તો આવડતું જ હોય છે.

No comments:

Post a Comment