Saturday, April 30, 2011

LIFE

જીંદગી મળવી એ કદાચ નસીબની વાત હોય શકે છે
અને મોત મળવુ એ તો સમયની વાત કહેવાય છે
મોત પછી પણ જો કોઈના દિલમાં જીવતા રહેવુ હોય છે
એ તો જીવતા હતા ત્યારે કરેલા કરમોની જ વાત હોય છે
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક આવતી હોય છે
પરંતુ તે દરેકનો એક રસ્તો ઈશ્વર જરૂર આપતા હોય છે
અને એ રસ્તો એના જ નસીબમાં મળી શકતો હોય છે
કે જેઓ પોતાનો ચહેરો સદાય હસતો રાખી શકતા હોય છે
કહેવાય છે કે સુખ દુખ તો કરેલા કર્મોની બલીહારી હોય છે
ના ડરવું દુખથી કે કદી ખુશ થવું સુખથી એજ તો ચેતના છે
જો તકલીફો આવે તો સહન કરવુ જીંદગીનુ એ તો કામ છે
કારણ કે જે સહન કરી જાણે છે તે જ મહાન બની શકે છે
સોનુ જેમ તપે સહન કરે તેમ તેની કીમ્મત વધે જ છે
કેટલુ જીવ્યાં તે અગત્યનુ નથી હોતું એવું કહેવાય છે
કારણ કે અગત્યતા તો કેવુ જીવ્યા તેને જ અપાતી હોય છે
આપણુ જીવન તો સદાય ખળખળ વહેતી નદી જેવું હોય છે
જીવનના રસ્તામાં ખાડા ટેકરા બધુય આવતું જ હોય છે
પણ આપણે તો પેલી નદીની જેમ વહેતુ રહેવાનુ હોય છે
અટકવાનુ હોતુ નથી સાવચેતીથી આગળ વધતા રહેવાનુ હોય છે
જીવનમા ઉત્સાહ અધિક અને દિલમા પ્રેમ જાળવી રાખવાનો હોય છે
ખાડાઓ આવે તેને તારવવાના હોય છે ટેકરાઓ કુદી જવાના હોય છે
બધાયને પ્રેમ આપતો રહેવાનો અને જીવન જીતતા રહેવાનુ હોય છે
ઉમર ગમે તેટલી હોય મન કાયમ ખુશહાલ રાખવાનુ હોય છે
દીમાગ હમ્મેશા શાંત રાખવાનુ અને દિલ ભર્યં ભર્યું રાખવાનુ હોય છે
મનની અને શરીરની તંદુરસ્તી જાળવી રાખવાની હોય છે
લોકોના જીવનમાં અડધી ભૂલો તો એટલા માટે થાય છે
કે જયાં વિચારથી કામ કરવવાનુ થતું હોય છે
ત્યાં લોકો લાગણીશીલ થઇ જઇને કામ કરતા હોય છે
 અને જયારે લાગણીની ખુબજ આવશ્યકતા હોય છે
ત્યારે લોકો માત્ર વિચાર જ કરતા રહેતા હોય છે

No comments:

Post a Comment