મનુષ્ય જીવનનો અંત
કોઈપણ માનવી, આધાર વગર, લગાવ વગર, શ્વાર્થ વગર, ઈચ્છા વગર,
જવાબદારી વગર, લાગણી વગર, મોહ વગર, ભક્તિ વગર, જીવી શકતો નથી.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે જીવનના કોઈ એક તબક્કે જો ઉપરોક્ત તત્વો પૈકી
એક પણ તત્વ જીવનમા રહે નહી તો માનવી મ્રુત્યુ તરફ ખુબજ જડપથી ગતી કરતો થઈ જાય છે.
જ્યારે માનવીને જીવવા માટે કશુજ રહેતું નથી ત્યારે તે પોતાના અંત તરફ જતો જાય છે.
આ બધાય તત્વોને જરા વીગતે જોઈએ તો...
* જો જીવવા માટે માનવી પાસે કોઈ આધાર ન હોય તો તેનુ જીવન અંત તરફ ગતી કરવા લાગે છે.
(અહીં આધારની વ્યાખ્યા કે અર્થ કે સ્વરૂપ કાંઈ પણ હોય શકે છે)
* જો જીવવા માટે માનવી પાસે કોઈ લગાવ ન હોય તો માનવી દીલ થી નબળો પડતો જાય છે.
માનસીક રીતે પણ નબળો પડતો જાય અને જીવન અંત તરફ ગતી કરતુ થઈ જાય છે.
* જો જીવવા માટે માનવીને કોઈ શ્વાર્થ ન હોય તો તે અતિ જડપે નિરાશાવાદી થતો જાય છે
અને આ નિરાશાવાદી વ્રત્તી કે પરીબળ જીવનનો અંત લાવવા માટે પ્રબળ ભુમિકા ભજવી જાય છે.
* જો જીવવા માટે માનવીને કોઈ ઈચ્છા ન રહે તેવી સ્થીતી નિર્માણ પામે ત્યારે
માનવી જીવનના અંત તરફ સરકવા લાગે છે
* જો જીવવા માટે માનવીના શીરે કશી જ જવાબદારી ન રહે તો પોતે પ્રીયાશીલ રહી શક્તો નથી
માનસીક રીતે નિશ્ક્રીય થતો જાય છે અને જીવન અંત તરફ ગતીશીલ બને છે.
* જો જીવવા માટે કોઈ લાગણી જ ન રહે કે લાગણીશીલ રહેવા માટે કોઈ આધાર જ ન રહે તો
માનવીનુ મ્રુત્યુ નિસ્ચીંત નજીક આવતુ જાય છે.
* જીવવા માટે માનવીને કશો મોહ જ ન તહે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ પ્રત્યે મોહ માયા રહે જ નહી
તો જીવનનો અંત નજીક આવતો જાય છે.
* જીવન જીવવા માટે જો માનવી પાસે ભક્તિ સ્વરૂપ કોઈ પરીબળ રહે જ નહી
તો માનવીના જીવનનો અંત લાવવા માટે તે સ્થીતી પ્રબળ નીમીત્ત બની શકે છે.
*** જ્યારે કોઈ માનવીનુ જીવન આ પ્રમાણે જીવાતુ હોય ત્યારે
આપણે જે તે માનવીને અકાળે મ્રુત્યુ તરફ જતો અટકાવવા માટે
આધાર બની શકીએ, લગાવ યોગ્ય બની શકીએ, આપણામા તેને સ્વાર્થ જાગે તેવા બની શકીએ,
તેને એવી જવાબદારી સોપીએ કે તે સહન કરી શકે પોતે ઉપયોગી થઈ શકે તેમ છે તેવી અનુભુતી કરાવી શકે
શક્ય તેટકલી તેઓની લાગણીને સમજીએ, યોગ્ય અર્થમા મુલવીએ, જરૂરી પ્રતિભાવ આપીએ.
તેને શેનોક મોહ જાગે તેવુ કશુંક આયોજન કરીએ અને તેમા તેને સામેલ કરીએ.
તેમનુ જીવન ભક્તિમય બને તેવુ વાતાવરણ ઉભુ કરીએ.
No comments:
Post a Comment