એક મુઠ્ઠી ઉંચેરો માનવી
આપણી વાણી, આપણુ વર્તન, આપણા વ્યવહારો અને આપણુ જીવન એટલી હદે પાવરફુલ ન હોવું જોઈએ, કે જેથી કોઈની આર્થિક, સામાજિક, વ્યક્તિગત અને માનસિક સ્થીતીને ડામાડોળ કરી મુકે.
અથવા તો આપણે અન્યની આંખમાં કણા ની જેમ ખુંચતા રહીએ.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે અને કહેવાય પણ છે કે જીવન જીવવા માટેના બે વિકલ્પો મોજુદ હોય છે.
(એક) દુનીયાની નઝરોમાં ઉંચા દેખાવું અને (બે) ખુદની નઝરોમાં ઉંચા દેખાવું, અનુભવવું
कहेते है की, आप दुनिया की नझरोमें उठना चाहते हो या खुदकी नझरोमें ?
જનરલી મોટા ભાગના લોકો પહેલો વિકલ્પ જ પસંદ કરતા હોય છે. કારણ કે
તે સહેલો હોય છે, સુવિધાજનક હોય છે, અને ભૌતિક સુખ સમ્રુધ્ધી આપનારો હોય છે.
અને સૌથી વિશેષ તો તે આપણા અહમ અને અભિમાનને પોષનારો હોય છે.
જો સર્વે કરવામાં આવે તો જાણી શકાય છે કે
એકાદ લાખ લોકોમાંથી બીજો વિકલ્પ પસંદ કરનારાઓની સંખ્યા માંડ સો બસો હોય શકે છે.
અને તે પણ સાચું જ છે ને કે લોકો સદાય ટોળામાં જ રહેવા ટેવાયેલા હોય છે.
હ્યુમન સાયકોલોજી એવું કહે છે કે લોકો બહુમતિ તરફી વધારે હોય છે.
એવું ચોક્કસપણે કહી શકાય કે બીજો વિકલ્પ પસંદ કરવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું કઠીન છે.
તોય પણ અમૂક લોકોનુ માનસ એટલું તો મજબૂત હોય છે કે તેઓ બીજો વિકલ્પ પસંદ કરતા હોય છે.
બીજો વિકલ્પ પસંદ કરવો એટલે સમગ્ર સમાજનો તો સામનો કરવો પડે, અને સાથો સાથ આધારીતો અને
વ્યક્તિગત કુટુમ્બીઓનો પણ જબરદસ્ત સામનો કરવો પડતો હોય છે.
એક બાબત ચોક્કસપણે કહી શકાય કે બન્ને વિકલ્પો પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ જ છે.
પ્રથમ વિકલ્પ પસંદ કરનાર વ્યક્તિને અન્ય લોકો તરફથી વાહ વાહ અને માન મર્તબો મળે છે.
જો કે તે ક્ષણિક હોય છે. ચિરંજીવી હોતો નથી.
જ્યારે બીજા નંબરનો વિકલ્પ પસંદ કરનાર વ્યક્તિને ખુદના તરફથી, પોતાના અંતરાઅત્મા તરફથી,
પોતાના સાવ નજિકના સ્વજનો તરફથી અહોભાવની લાગણી અને હૂંફ મળ્યે રાખે છે.
જે ક્ષણિક ક્યારેય નથી હોતી બલ્કે ચિરંજીવી હોય છે. આપણા ભુતકાળ તરફ નઝર લગાવીએ,
બસો પાંચસો વરસ દરમીયાન બહુ ચર્ચામા રહેલા વિશાળ અનુયાયીઓ મેળવેલા કંઈ કેટલાયે માહ્નુભાવો દેખાશે
કે જેઓને જો જરા વધુ નજદીકથી ઓળખવાનો પ્રયત્ન કરીશું તો જાણી શકાય છે કે
એ લોકોએ તેમના જીવનમા પ્રથમ વિકલ્પ કરતા બીજા વિકલ્પ ને જ પ્રાધાન્ય આપેલું હતું.
તેઓના જીવનમાં તે લોકોએ બાજા વિકલ્પને જ પ્રસ્થાપિત કરેલો હતો.
આજનો સમાજ, આજની દુનીયા, આજે જોવા મળતી સુવિધાજનક જીવનશૈલી,
અને ભૌતિક સુખ સમ્રુધ્ધીના સાધનોની હારમાળાઓ વચ્ચે જો આપણે અટવાઈ જઈએ નહીં
તો તે આપણામાં છુપાયેલા બીજા વિકલ્પને બહાર આવવામાં મદદરુપ બની શકે છે.
આપણા એટલે કે પુરુષના જીવનમાં ત્રણ તબક્કાઓ અતિ મહત્વ ધરાવે છે.
પહેલો તબક્કો એટલે કે 16 થી 25 વર્ષની ઉમર સુધીના. તબક્કામાં
દુનીયાના તમામ નઠારા અને કુટેવ જનક પરીબળો આપણી સામે પ્રલોભન તરીકે મુકાતા હોય છે.
અને આપણે આપણી જાતને તેનાથી અળગી રાખવાની હોય છે.
બીજો તબક્કો 25 થી 50 વર્ષનો એટલે આપણા લગ્ન અને પરીણામે ઉદભવતુ વ્યક્તિગત અને સાંસારિક જીવન.
આ સમયગાળામાં આપણે આપણુ જીવન
આપણા કુટુમ્બના સુખ ચેન અને સલામતી સુખાકારી માટે ખર્ચી નાખતા હોય છીએ.
અહીં એક ભયસ્થાન તે છે કે આ સમયગાળામાં આપણાથી થયેલી ભુલો આપણને 50 વર્ષ બાદ નડે છે.
અને છેલ્લે આવે છે ત્રીજો તબક્કો. એટલે કે જેને ઉમર સાથે બહુ લેવાદેવા નથી પરંતુ
ખાશતો જ્યારે આપણે નોકરી ધંધો કે વ્યવસાયમાંથી પ્રથમ દ્રષ્ટિએ નીવ્રુત્ત થયા હોય છીએ.
વરસોથી જે નોકરી ધંધો કે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છીએ, તેમાંથી નીવ્રુત્ત થયા હોય છીએ.
જ્યારે જીવનનો આ ત્રીજો તબક્કો આવે છે ત્યારે ખાશ તો તે જોવાનુ રહે છે કે
શું આપણે આપણી ખુદની જ નઝરોમાં ખરેખર ઉંચા ઉઠી શક્યા હોય છીએ ?
આ પ્રષ્નનો જવાબ દરેક વ્યક્તિ માટે સંજોગોવસાત અલગ અલગ હોય શકે છે, પરંતુ
ખરેખર તો આ છેલ્લો સમયગાળો એવો છે કે
ત્યારે વ્યક્તિએ ખુદની નઝરોમાં ઉંચે ઉઠવા માટેની જીવનશૈલી અખત્યાર કરી દેવી જોઈએ.
જો આવું કરી શકીએ તો જ આપણી પાછલી અવસ્થાનુ જીવન સુખમય અને શાંતીથી પસાર કરી શકાય છે.
આપણુ જીવન તો ઠીક પણ આપણી ઉપર આધારીત અને આપણી સાથે લાઈફ ટાઈમ સંકળાયેલા સ્વજનોને
No comments:
Post a Comment