લગની
ગામના પાદરે આવેલા શીવમંદીરની બાજુમાંજ ઝુપડી બનાવી એક સાધુ મહાત્મા રહેતા હતાં
દરરોજ સાંજના સમયે ગામવાસીઓ તેમની વાણી અને પ્રવચનો સાંભળવાનો લ્હાવો લેવા આવતાં
સાધુ મહાત્માની આત્મશક્તિ ઘણી મજબુત હોવાથી તે લોકોના હ્રદયના ઉંડાણ સુધી પહોંચી
લોકોના પ્રષ્નો અને વાતો સમજી તેઓના કલ્યાણ અર્થે યોગ્ય સલાહ ઉપદેશ પણ આપતા
એકાદ વરસમાં તે સાધુ મહાત્માની ખ્યાતી દુર દુરના ગામ સુધી પ્રખ્યાતી પામી ગઈ.
એક દીવસ બન્યું એવું કે એક યુવક ત્યાં આવીને મહાત્માના ચરણોમાં માથુ મુકી જોર જોરથી રડવા લાગ્યો.
યુવકના ચહેરાની લકીરો અને તેની આંખમા છુપાયેલી વેદના નીરખી, મહાત્મા વાત પામી ગયાં
મહાત્માએ યુવકને રડવાનુ કારણ પુછતાં તેણે જણાવ્યું કે સતત મહેનત કરવા છતાં મારૂં કામ પુર્ણ થતું નથી
હવે મને શ્રધ્ધા નથી રહી કે છેલ્લા ચાર વરસથી હું જે કામ કરી રહયો છું તે પુરૂ થશે.
મહાત્મા બોલ્યા. જો સાંભળ. તું એક કન્યાના પ્રેમમા ગળાડુબ છે, પરંતુ તું તેને પામી શકતો નથી.
યુવક તો સાંભળીને અવાચક થઈ ગયો.
મહાત્માએ આગળ જણાવ્યું કે જેટલી લગની તને તારી પ્રેમીકા પ્રત્યે છે
તેટલી જ લગની જો તું તારા કામમાં દાખવે તો તારું કામ ચોક્કસ પુર્ણતા પામશે અને નીખરી ઉઠશે.
No comments:
Post a Comment