Saturday, May 21, 2011

સર્જનાત્મકતા, પરિવર્તનશીલતા, સહનશીલતા

સર્જનાત્મકતા.
માણસો કાયમ સુખને જ શોધતા રહેતા હોય છે,
કહો કે સુખની પ્રાપ્તી માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે.
જમીન મકાન   ધંધો રોજગાર રુપીયા પૈસા શરીરની તંદુરસ્તી,
વગેરે માટે લોકો કાયમ મથામણ કરતા જ હોય છે.
અને તેનુ નામ જ જીવન કહેવાય છે.
પરંતુ આ બધુ કરવાની સાથે સાથે આપણે આપણી દ્રષ્ટી કેવી રાખીએ છીએ તે અતિ અગત્યનુ છે. 
સુખની પ્રાપ્તી માટે આપણે આપણી દ્રષ્ટીમા
સર્જનાત્મકતા,પરીવર્તનશીલતા અને સહનશીલતા
જેવી બાબતોને જો સમાવી શકીએ તો સુખ તો હાથ વગુ જ હોય છે.
આપણા જીવનને નવેસરથી ગોઠવીને જીવી લેવુ, એનુ નામ સર્જનાત્મકતા.
આવી પડેલી કે ઉભી થયેલી પરિસ્થીતીમા
જો સહેલાઈથી સ્વસ્થતા પુર્વક ગોઠવાઈ શકીએ,
તો તે સર્જનાત્મક વ્રત્તીની પહેચાન કહેવાય.
જીવનમા કોઈ ને કોઈ ક્ષણે કશુક સર્જન કરતા રહો, તે જરુરી છે.
આખો દિવસ સાવ નિશ્ક્રિયતા પુર્વક પસાર કરવા જેવુ કોઈ પાપ નથી, 
માનવી જો નિષ્ક્રિય રહે તો તે પતન તરફ જઈ રહ્યો છે તેવુ કહેવાય છે. 
જે  ખાશ યાદ રાખવું જોઈએ.
એવુ નથી કે કશુક નિર્માણ કાર્ય કરતા રહેવું,
બલ્કે વૈચારિક રીતે સુધરવુ, કોઈને ઉપયોગી થવુ,
અન્યના ભલા માટે સક્રિયતા દાખવવી વગેરે ઘણી રીતે સર્જનાત્મકતા અપનાવી શકાય છે.
જો સર્જનાત્મકતા વિકસાવવા માટે બીજુ કશુ ન કરી શકીએ
તો પણ ઉમરના સાપેક્ષમાં જો વાંચન ની ટેવ પાડીએ,
તોતે સર્જનશીલતાનો વૈચારીક  ભાવ જગાડી શકે છે.
જીવનમા જેટલી સર્જનાત્મકતા વધુ વિકસાવીએ તેટલો ફાયદો છે, તેમ સમજો..
જીવન ને ધબકતુ અને તંદુરસ્ત રાખવાની મુખ્ય ચાવી છે સર્જનાત્મકતા.
પરીવર્તનશીલતા.
વિષ્વમા દરેક ક્ષણે ક્યાંક ને ક્યાંક કશુક થતું જ રહેતુ હોય છે.
અને તેનુ નામ જ પરિવર્તન.
પરિવર્તનને જો અનુભવી શકીએ જો સ્વિકારી શકીએ જો માણી શકીએ,
જો તેની સાથે આપણા જીવનનો તાલ મીલાવી શકીએ
તો જ મીઠા ફળ મેળવી શકાય છે .
અને તો જ જીવન ધબકતુ રહી શકે છે.
શારિરીક તંદુરસ્તી જળવાઈ રહે છે.
કોઈ એક બાબત કે સ્થિતીને બહુ જાજો સમય અપરિવર્તનશીલ રાખવી જોઈએ નહી.
આપણી ઈચ્છા પ્રમાણે જ વિષ્વમા બધુ થતુ રહે,
એવી તમન્ના રાખવી, મમત્વ રાખવુ ,
તે તો દુખને નિમંત્રણ આપવાની વાત કહેવાય છે.
હકિકત એ છે કે  વિષ્વમા થતા સર્જન અને પરિવર્તન ને
જેટલી સાહજિકતાથી સ્વિકારી શકીએ એટલેકે તેને સહન કરી શકીએ,
અપનાવી શકીએ તે આપણા લાભની વાત કહેવાય છે.
શક્ય હોય ત્યાં સુધી, સ્વીકારો, અપનાવો, અનુભવો, તો જ ફળદાયી છે પરિવર્તન.
સહનશીલતા.
જીવનમા જે અતિ જરુરી મનાય છે તે છે સહનશીલતા.
સહનશીલતા એટલે પરિવર્તનને આસાનીથી સ્વિકારી શકવાની ક્ષમતા.
પરિવર્તનને અવગણવાથી તો દુખનો જન્મ થાય છે.
પરંતુ તેને સ્વિકારવાની ક્ષમતા એજ સહનશીલતા.
જ્યારે આસપાસના બધાજ લોકો મીજાજ ગુમાવે અને તારાપર એનો દોષ ઢોળે 
ત્યારે તું જો મગજ ન ગુમાવે
.....જ્યારે બધા લોકો તારા પર શંકા કરે ત્યારે તું જો તારામા વિશ્વાસ રાખી શકે
ત્યારે જીવન સ્વસ્થતા પુર્વક જીવી શકાય છે.
તંદુરસ્ત રહી શકાય છે, સુખી રહી શકાય છે.

No comments:

Post a Comment