Saturday, May 7, 2011

પાણી પહેલા પાળ બાંધો

ધર્મ અને નિતી શાશ્ત્ર એમ કહે છે કે કોઈપણ કર્મ કરતા પહેલા પુરતો વિચાર કરવો જોઈએ.
આપણે ઠોકર ખાઈએ પછી જ કેમ રસ્તા પરનો પત્થર દેખાય છે?
ઝાડા થઈ ગયા બાદ જ કેમ ન લેવાનો ખોરાક વધુ લેવાઈ ગયાનુ ભાન થાય છે?
જ્યારે દુખ આવી પડે છે ત્યારે જ કેમ આચરેલા પાપો કે ભુલો દેખાવા લાગે છે?
ધંધામા નુકસાની ગયા બાદ કેમ તેના કારણો બહાર આવે છે?
એક્સીડંટ થયા બાદ જ કેમ સ્પીડમા વાહન હંકારવુ જોઈતુ ન હોતુ તેવુ જ્ઞાન થાય છે?
મુશ્કેલીઓ આવે ત્યારે જ અને તો જ કેમ સગા સંબંધીઓ યાદ આવે છે?
આપણે ખરાબ પરીણામ મેળવીએ ત્યાર બાદ જ કેમ શાણા થવાનુ વિચારીએ છીએ ???
તાત્પર્ય માત્ર એટલુજ  કે આજે દેખાતી કેટલીક સમશ્યાઓ ભુતકાળમા આંખ આડા કાન કર્યાની ઉપજ હોય છે. તમને ખબર છે ?
અમુક બાબતોને ના કહેવા માટે પણ,આપણી અંદર સળગતી હા હોવી અતિ આવશ્યક ગણાય છે.
મતલબ કે જો સમયસર ચેતી જઈએ અને ના પાડી શકીએ તે માટે
તે બાબતો વિષેના પરીણામ બાબતની સળગતી હા આપણામા કાયમ મોજુદ રહેવી જોઈએ
આપણે શા માટે આપણી અંદર સળગતી હા કેળવી શકતા નથી?
આવુ થવા માટેના બે મુખ્ય કારણો આવા હોય શકે છે.
એક તો આપણી અજ્ઞાન દશા અને બીજુ પ્રલોભનો પ્રત્યેની આપણી પરવશતા.
આપણે કરેલા કાર્યોનુ શું અને કેવું પરીણામ આવે તેમ છે  તે બાબતે
આપણી અજ્ઞાનતા કારણરુપ હોય શકે છે. જે કદાચ સહન પણ કરી લઈએ.
પરંતુ, વિપરીત કે ગલત પરીણામ આવવાની જાણકારી હોવા છતાં
જો માત્ર ને માત્ર લાલચને કારણે, પડશે એવા દેવાશે, એમ વિચારીને પરવશ બની જવુ તે વ્યાજબી છે ખરું? આત્મવિશ્વાસ એજ પ્રવ્રુત્તીનો પાયો છે, આત્મવિશ્વાસ વીના પ્રવ્રુત્તીનુ સાચુ પરીણામ ન મળે.
એક નિતી વાક્યની યાદ આવે છે કે ઉગતા રોગને કે ઉગતા શત્રુને તો તુર્ત જ ડામી દેવો હિતાવહ છે.
આજની આપણી સમસ્યાઓ એ કાંઈ આજનીજ ઉપજ નથી હોતી.
આવી સમસ્યાઓ તો ભુતકાળમા કરાયેલા ગલત કાર્યોનુ જ પરીણામ હોય છે.
માણસ ઠંડા પહોરમાજ જો મંઝીલે પહોંચવા માટે નીકળી પડે 
 તો તેને સખત ગરમીનો સામનો કરવો પડતો નથી, જે નિર્વિવાદ સત્ય છે.
પાણી પહેલા પાળ બાંધવાની વ્રુત્તી કેળવીએ તો સંભવીત વિષમ સ્થીતીને અટકાવી શકાય છે.
જો ભય હશે તો હીંમત નહી આવે, અને જો હીંમત નહી હોય તો ઈશ્વરની મદદ ના મળે.
અંગ્રજી ભાષામા આ માટે એક કહેવત છે કે
Awareness is always better than Cure

No comments:

Post a Comment