Saturday, June 4, 2011

લલાટે જે લખ્યુ વિધાતાએ, કેમે કરીને ભુસાઈ ના.

મંદીરે પુજા પાઠ કરી ને દસેક વાગ્યે ઘરે પાછા ફરેલા તે ભાઈએ
બાલ્કનીમા દોરી પર રહેલા રહેલા કપડાઓ તરફ નઝર કરી.
પણ આ શું ?
પુજાના કપડા પહેરતી વખતે ચાલુ કપડા ત્યાં દોરી પર મુકેલા તે ત્યાંથી ગયા ક્યાં ?
આજુ બાજુ પણ જોઈ લીધું. ક્યાંય દેખાતા ન હતાં
નવાઈ પામી તેણે તેની પત્નિને પુછ્યું.
મેં પુજાના કપડા પહેરતી વખતે અહીં દોરી પર મુકેલા મારા ચાલુ કપડા ક્યાં ગયા?.
પત્નિએ નમ્રતાથી જવાબ આપ્યો હવે તે નહી મળે.
કેમ નહી મળે ? પતી બોલી ઉઠ્યો.
બન્યુ એવુ કે જોરદાર પવન આવવાથી તે ઉડી ને નીચે પડ્યા છે. પત્નિએ ખુલાશો કર્યો.
અછા એમ વાત છે, તો તું નીચે જઈને તે કપડા લઈ આવ. પતી એ કહ્યું.
હું નહી જાવ, તમારે લેવા જવુ હોય તો જાવ. પત્નિએ ઉત્તર વાળ્યો.
પણ તને લેવા જતા શેની શરમ આવે છે ? પતીએ આગ્રહ રાખ્યો.
જુઓ, વાત કાઈંક આવી છે, પત્નિ બોલી.
કોઈ એક રાજ્યમા આ વખતે નદીઓમા પુર આવવાથી
હજારો લોકો બેઘર બની ગયા છે.
અને તેઓને મદદ કરવા માટે કોઈ એક સંસ્થા વાળા
જુના કપડા ઉઘરાવવા આવ્યા હતા.
તમે પુજા કરવા ગયા હતા, તેથી તમને પુછ્યા વગર તો કપડા અપાઈ નહીં.
તેથી મે આપવાની ના જ પાડી અને તેઓએ પણ બહુ આગ્રહ કર્યો નહીં.
જો કે આપણા બીલ્ડીંગમાંથી ઘણા કુટુમ્બોએ કપડાઓ આપ્યા.
કપડાની ગાંસડી બાંધી તેઓ  ટ્રકમા જતા હતા
ત્યારે છેલી વખત યાદ આપતા ગયા,
કોઈને કપડા આપવા હોય તો આપી દેજો..
ત્યાં તો જોરદાર પવન ફુંકાણો,
અને બાલ્કનીમા રહેલા તમારા તે કપડા ઉડીને પડ્યા નીચે,
સીધા પેલા ટ્રક માં.
મેં નીચે જોયું તો એ લોકો એમ સમજ્યા
કે મેં એ કપડા રાહત કાર્યમા આપી દીધા છે.
તો હવે સમજ્યા, વાત આમ બની છે.
પત્નિએ સઘળી હકીકત જણાવતા ઉમેર્યું કે,
હજુ ટ્રક તો નીચે જ ઉભી છે.
તમારે જોઈતા હોય તો લઈ આવો.
હું તે કપડા પરત માંગવા જવાની નથી.
પતી બોલે તો શું બોલે ?
સૈન્યમા દાખલ થયેલો સૈનિક જ્યારે યુધ્ધ લડવાની ના પાડે છે
ત્યારે સેનાધિપતિ તેની યુધ્ધમાંથી હકાલપટી કરી નાખે છે.
ધર્મ કરવાના સમયે જો ગેર હાજર રહીએ
તો પણ નસીબ તેનુ કામ કરી જ નાખે છે.

No comments:

Post a Comment