Saturday, July 28, 2012

આપણુ રસોડુ

આપણી તંદુરસ્તિનુ રહશ્ય હોય છે આપણુ રસોડુ અને તેમા તૈયાર થતો ખોરાક
આયુર્વેદ એવુ કહે છે કે આપણુ શરીર કફ, પિત્ત અને વાયુ ને સપ્રમાણ ધારણ કરી શકે તો શરીરને બીમાર પડવાની નોબત આવતી નથી. આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ તેને કારણે આપણા શરીરમા કફ, પિત્ત અને વાયુનુ પ્રમાણ વધે છે, ઘટે છે અથવાતો અતિશય વધ ઘટ થાય છે. સામાન્ય વધારો કે ઘટાડો આપણુ શરીર સહન કરી લે છે પરંતુ જો અતિશય વધારો કે ઘટાડો થાય તેવા ખોરાક લેતા રહીએ તો શરીર તંદુરસ્તિ જાળવી શક્તુ નથી અને પરીણામે નાની મોટી બીમારી આવી શકે છે.  દરેક વ્યક્તિઓની શારીરીક પ્રક્રુતિ કઈ છે તેના પરથી કફ, પિત્ત કે વાયુ ધરાવતા ખોરાક ઓછા ખાવા કે વધુ ખાવા તે નક્કી કરવુ જોઈએ. આપણી જેવી પ્રક્રુતિ હોય તે પ્રક્રુતિને વધારી મુકે તેવા ખોરાક લીમીટમાં ખાવાની ટેવ પાડવાથી બીમારીને દુર રાખી શકાય છે. જો આપણે આપણા ખોરાક માટે સચેત રહી શકીએ તો કેટલીક બીમારીઓ આવી શકતી નથી. સામાન્ય રીતે એવું સમજી શકાય છે કે જે ખોરાકમાં ચરબી અને ગળપણ વધુ રહેતુ હોય તેવા ખોરાક સાવ લીમીટમાં ખાવા જોઈએ. કારણકે તેને પચાવવા અઘરા પડતા હોય છે અને વળી તેને કારણે શરીરમા પિત્ત વધે છે અને કોલેસ્ટરોલ પણ વધી શકે છે. તેવીજ રીતે જે ખોરાકમા નમકનુ પ્રમાણ વધુ રહેતુ હોય તેવા ખોરાક વધુ પડતા ખાવાની ટેવ રાખીએ તો બ્લડ પ્રેસરની તકલીફ અને મુત્રાશયને લગત રોગ થઈ શકે છે. માણસ આખી દુનિયા ફરી વળે, પણ જ્યારે તે પોતાના ઘરે આવે ત્યારે એક પ્રકારની શાંતીનો અનુભવ કરે છે, હાશકારો અનુભવે છે. આપણા શરીરનુ પણ આવુ જ છે. શરીરમા આવેલા કેટલાયે અવયવો જો એક બીજાની સાથે તાલમેલ જાળવી રાખે તો શરીર હમ્મેશા શાંતી અનુભવી શકે છે, હાશકારો અનુભવે છે. આપણા શરીરના તમામે તમામ અવયવોને તંદુરસ્તી બક્ષવામા બે બાબત ખાશ મહત્વ ધરાવે છે, કહો કે અતિ અગત્યની છે. એક તો, આપણી જીવનશૈલી રહેણી કરણી અને બીજુ આપણો ખોરાક. કાયમ જો તંદુરસ્તી જાળવી રાખવી હોય તો તે માટે ખોરાકનો ફાળો અગ્ર સ્થાને આવે છે. જેટલુ આપણે આપણા રુપીયા પૈસા, માલ મિલ્કત, કુટુંબ, છોકરા છૈયા અને આધારીતોની બાબતો માટે કાળજી કે ચિંતા રાખીએ છીએ તેટલા પ્રમાણમા જો આપણા ખોરાકની પણ કાળજી રાખીએ તો ક્યારેય પણ ગંભીર બીમારીના ભોગ બનવાનુ થતુ નથી અને આપણી સામાન્ય સુખ શાંતી અને આનંદ ગુમાવવાનો વારો આવતો નથી. લગભગ બધાજ રોગનુ મુળ આપણો ખોરાક હોય છે. સામાન્ય રીતે લોકોનો ખોરાક પ્રત્યેનો અભિગમ એવો હોય છે કે આપણે ખાવા માટે જીવીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે ખાવા માટે નહી પણ આપણે જીવવા માટે ખાવુ જોઈએ. એનાથી પણ આગળ વિચારતા એમ કહી શકાય કે આપણે સારી રીતે અને તંદુરસ્તી પુર્વક લાંબુ જીવવુ હોય તો ખાવા પીવાનુ ધ્યાન રાખવુ અતિ જરુરી બને છે. આપણો દૈનિક ખોરાક, શુધ્ધ સાદો સાત્વિક અને ખાશ તો સમતોલ હોવો જોઈએ. ખોરાકની શુધ્ધતા બાબતે કહી શકાય કે આપણા ઘરમા ખોરાક તૈયાર થતો હોય તેટલી શુધ્ધતા બહાર ગમે ત્યાં ખાઈએ તે ખોરાકમા શુધ્ધ્તાના ધારાધોરણ બહુ જળવાતા હોતા નથી  શક્ય ત્યાં સુધી મહીને એકાદ વખત માત્ર શોખ ખાતર બહાર જમીએ તેનો ખાશ વિરોધ હોય શકે નહી. પરંતુ મહીનામા વારંવાર બહારનુ ખાધાખાધ કરતા રહેવાની ટેવ લાંબા ગાળે આપણી તંદુરસ્તી પર જોખમ અવશ્ય લાવી શકે છે. સાદો ખોરાક એટલે એકદમ સુપાચ્ય ખોરાક. મતલબ કે તેમા ભારેપણુ (ચરબી) બીલકુલ ઓછુ હોય તેવો ખોરાક. એટલે કે ઘી દુધની વાનગીઓ કે મીઠાઈઓ કે તીખુ તળેલુ વગેરે પ્રકારના ખોરાક મહીના દરમીયાન બે કે ત્રણ વખત લઈ શકાય. પણ જો આવા ખોરાક વારંવાર ખાવા ગમતા હોય અને ખાતા રહેતા હોય તો તે આપણને મુશ્કેલીમા મુકી શકે છે. સાત્વિક ખોરાક એટલે કે શરીરની જરુરીયાત મુજબ બધાજ પ્રકારના સત્વ પ્રમાણ સર મળતા રહે તેવો વિવિધતા સભર નો ખોરાક.  સમતોલ ખોરાક એટલે કે વિટામીન, પ્રોટીન ચરબી અને કાર્બોદિત પદાર્થો શરીરની જરુરીયાતની સાપેક્ષમ જ મળતા રહે તેવો ખોરાક. આમાથી એક પણ પદાર્થનો અતિ અતિરેક ન થાય તે બાબતની કાળજી રાખવી, યાદ રાખવુ અને તે પ્રમાણે ખોરાક લેતા રહેવો તેને સમતોલ ખોરાક કહી શકાય. સાવ સાદી ભાષામા કહેવુ હોય તો કહી શકાય કે જે ચીજ વધુ ભાવતી હોય તેનો જ વાંરવાર ઉપભોગ કરતા રહેવાની આદત છોડવી જોઈએ.જો આપણે આપણા રસોડાને બહાર લઈ જઈએ એટલે કે હોટેલ કે લારી ગલ્લાઓના ખોરાક ખાધે રાખીએ તો તે બીમારી આવવાનુ નિમિત્ત બની શકે છે. તેને બદલે આપણે જો આપણા ખોરાક માટે આપણા રસોડાને જ પ્રાધાન્ય આપીએ તો તંદુરસ્તિ જાળવી રાખવા માટે તે સહાય કરી શકે છે. આપણુ રસોડુ કેટલીક એવી વસ્તુઓ સંગ્રહી રાખતુ હોય છે કે જેનો સમજદારી પુર્વક ઉપયોગ કરવામાં આવે તો આપણુ શરીર તેની તંદુરસ્તિ સારી રીતે જાળવી શકે છે. આપણા રસોડામાં રહેતી કેટલીક એવી ખોરાકી સામગ્રીઓ હોય છે કે જેનો યોગ્ય રીતે બરોબર ઉપયોગ કરી શકીએ તો આપણી તંદુરસ્તિ બર કરાર રહી શકે છે, બીમારી દુર રહી શકે છે.

No comments:

Post a Comment